મનોદિવ્યાંગ બાળકોને કાંકરિયા અમદાવાદ પ્રવાસનું નિ:શુલ્ક ફ્રી પ્રવાસ આયોજન કરવામાં આવ્યું.

March 4, 2025

સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવારના મનો દિવ્યાંગ બાળકોને કાંકરિયા અમદાવાદ પ્રવાસનું નિ:શુલ્ક ફ્રી પ્રવાસ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોને કાંકરિયા ની મોજ માણી હતી.કાંકરિયા પ્રાણી સંગ્રહાલય,મહેમદાવાદ રોઝા રોઝી મકબરો,મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર ના ગણેશજી દર્શન કરાવી બાળકોને એક દિવસીય પ્રવાસની ખૂબ મજા માણવા મળી હતી.દાન ના માધ્યમ વિન્સી ટ્રાવેલ્સ બોરસદ તરફથી દિવ્યાંગ બાળકો અર્થે નિશુલ્ક ટ્રાવેલ્સ અર્પણ કરવામાં આવી હતી.ગુપ્ત દાતાશ્રી તરફથી શ્રાદ્ધ અર્થે બાળકોને ભોજન અર્પણ કરવામાં આવ્યું હતું.કાંકરિયા પ્રશાસન તરફથી ભરતસિંહ વિહોલા સાહેબ ,પરેશભાઈ તથા રકીબ અલી ઇબ્રાહિમ અલી હિંમતનગર (પ્રવાસી)બાળકો ને જોઈ ઠંડક રાહત અર્થે આઇસ્ક્રીમ અર્પણ કરી હતી.સાથી સ્પેશિયલ સ્કૂલ બોરસદ મનો દિવ્યાંગ બાળકોની આ એક દિવસીય ફ્રી પ્રવાસ સેવાકીય કામગીરી જે મનો દિવ્યાંગ બાળકો અને બાળકો પાછળ અવિરત આજીવન સેવા અર્પણ કરતી માતાઓ માટે સાથી શાળા એ પ્રવાસ હાથ ધર્યો હતો.જેથી મનો દિવ્યાંગ બાળકો અને વાલીઓનું પણ માનસિક સ્વાસ્થ્ય ,તંદુરસ્ત જળવાઈ રહે.દાન ના માધ્યમ બનનાર તમામ દાતાશ્રીઓ માટે પ્રભુ ને પ્રાર્થના કે સર્વ તને મને ધને બધી રીતે ખુશ સુખી અને નિરોગી રહે.સાથી ના સાથીદાર બનવા બદલ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *