2008 થી સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ અને સંશોધન કેન્દ્ર મોભા.ની સેવાકીય કામગીરી અર્પણ કરે છે.બોરસદમાં 2016 થી સાથી સ્પેશિયલ સ્કૂલ બોરસદ ની સ્થાપના ઘરની વસ્તુઓથી એક બાળક થી શરૂઆત કરી હતી.
સ્વામિ વિવેકાનંદ વિકલાંગ મંડળ સંચાલિત સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદએ બાળકની એસેસમેન્ટના માધ્યમથી દિવ્યાંગતાને ઓળખી તેમનામાં રહેલી ઉણપને ઓળખી તેના સર્વાગી વિકાસ અર્થે સેવાકીય કામગીરી કરે છે.જેમ ફિજ્યો થેરાપી,અભ્યાસ , ઓક્યુંપેશન થેરાપી,વોકેશનલ ટ્રેનિંગ,A.D.L(એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ–રોજિંદી જીવન શૈલી ક્રિયા),રમત ગમત,ડાન્સ,પ્રવાસ, સ્પીચ થેરાપી, સાયકોલોજી એસેસમેન્ટ, પેરેન્ટ્સ એસેસમેન્ટ,સરકારી બિનસરકારી લાભ,સમાજમાં અવેરનેસ કાર્યક્રમ,સાધન સહાય વિતરણ કેમ્પ,દિવ્યાંગ બાળકો ના સર્વાગી વિકાસ અર્થે નિઃશુલ્ક સેવાકીય કામગીરી અર્પણ કરાય છે.સાથી શાળામાં આવતા દિવ્યાંગ બાળકો સિવાય અન્ય દુર દરાજ ના દિવ્યાંગ ને સાધન સહાય કેમ્પ અને દાતાશ્રી ના માધ્યમ થી મદદ અર્પણ કરાય છે.સાથી મનો દિવ્યાંગ શાળા બોરસદ પરિવાર ના દરેક બાળકો વાલીઓ ને નિઃશુલ્ક ભોજન અને યુનિફોર્મ,અભ્યાસ સામગ્રી,અને થેરાપી અર્પણ કરાય છે.અવનવી ઉજવણી અને ઉત્સવો,અવર્નેસ રેલી,કેમ્પ,દિવ્યાંગ રાસ ગરબા ઉત્સવ,કોલેજ શાળા અને આંગણવાડી ના અવેર નેસ કાર્યક્રમ અને રમત ગમત આયોજન ના માધ્યમ થી બાળકો ને સમાજ સાથે જોડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એજ્યુકેશન પ્રવાસ અર્થે પોલીસસ્ટેશન,ટપાલ ઓફિસ ,રેલવેસ્ટેશન વગેરે તથા વોકેશનલ ટ્રેનિંગ અર્થે તાલીમ કેન્દ્રો અને કંપની ના માધ્યમ થી ઔધોગિક સમજણ અપાય છે.તથા પ્રવાસ ના માધ્યમ થી નવી નવી જગ્યા અને લોકેશન સાથે મોજ મજા મસ્તી નો આનંદ અર્પણ કરાય છે.સાથી શાળાના માધ્યમ થી આરોગ્ય લક્ષી કેમ્પ જેવા કે આંખો ની તપાસ, કેલિપર્સ કેમ્પ,કરોડરજ્જુની. તપાસ,ડેન્ટિસ કેમ્પ, એક્યુપ્રેસર થેરાપી કેમ્પ,વગેરે વગેરે જેવા કેમ્પ માં માધ્યમ થી બાળકો અને વાલીઓને જાણકારી અને સમસ્યા નું નિવારણ આપવાનું કામ કરવામાં આવે છે. સાથી મનો દિવ્યાંગ શાળા ની તદન નિઃશુલ્ક સેવાકીય કામગીરી એ સંપૂર્ણ દાતાશ્રી અને સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ ઉપર નિર્ભર છે.તો આવો સૌ સાથે મળી ને સાથી પરિવાર સાથે જોડાઈ ને સાથી ના સાથીદાર બની ને દિવ્યાંગ અને દિવ્યાંગતા ના સાથી બનીએ.કોઈના જીવન નું પ્રેરણા નું કિરણ બનીને અંધકાર માંથી ઉજ્વળ ભવિષ્ય તરફ દોરીએ. આપની આ સેવાકીય કાર્યો અને સેવાયજ્ઞ ના ભાગીદાર બનીએ. આપની આ સેવા ઉપર વાળા ના ચોપડે જરૂર નોંધાશે. પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કે આપ સર્વ તને મને ધને બધી રીતે સુખી અને સમૃદ્ધ રહો તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના ધન્યવાદ.
પરમાત્મા એ સૃષ્ટિ ના સર્જન માં કઈ પણ વ્યર્થ સર્જન કરેલ નથી.આ કોમળ કૂપન સરીખા દિવ્યાંગ બાળકો ને યોગ્ય પોષણ રૂપે ટ્રેનિંગ,શિક્ષણ અને થેરાપી અને પ્રેમ વ્હાલ જરૂરિયાત અર્પણ કરતા તેઓ પણ એક દિવસ વટવૃક્ષ સમાન જીવન જીવવાની પ્રેરણા થી જીવન જીવી શકશે.સમાજ માં તમને માન સન્માન પ્રેમ વ્હાલ અને તેમના માં રહેલી ક્ષમતા ને બહાર લાવી તેમને નાની મોટી તક આપવાની જરૂર છે.દરેક દિવ્યાંગ માં કઈક ને કંઈક ખૂબી ક્ષમતા ને આવડત છે તેનો આત્મવિશ્વાસ બની તેમના સાથી પ્રેરણા બની તેમનો પાપા પગલી ના સાથીદાર બનવાની જરૂર છે. આપણને ને પણ માતા કે પિતા કે ભાઈ બેન ની આંગણી ની મદદ મળતા ચાલતા દોડતા ને દુનિયા દેખતા શીખ્યા છે તો આપણે કોઈના સાથી બની જીવન ઉદ્ધાર પ્રેરણા બની સાથી ના સાથીદાર બનીએ.
